Saturday, December 21, 2013

મુખ્ય સિદ્ધાંતો/નીયમો ( ભાગ ૩ ).....ઍક પહેલ કુદરતી ખેતી તરફ

પહેલા ૪ નિયમ વાંચવા અહી જાવ


** નિયમ ૫ **

      ધ્યાન રાખવુ અન કોશિશ કરવી કે જમીન સાવ ખુલ્લી ન રહે. આની માટે અલગ અલગ સમય પર ઉગાડી અને લણી શકાય તેવા પાક ઉગાડવા જોઈયે.

ઍટલે કે જમીન પર કાઇક ને કાઇક ઉગેલુ જ ખપે જેથી જમીન પર સીધો તડકો ન લાગે

ખેતર મા લગાતાર પાક ઉગેલો રહેવાથી સૂરજ ની ગરમી જે શક્તિ નો અથાગ સ્ત્રોત છે તે પાક મેળવી લે છે અને જમીન ના પાણી નુ બાષ્પિભવન પણ ઓછુ થાય છે અને સૂક્ષ્મ જીવાણુ ઓને યોગ્ય વાતાવરણ મળી રહે છે અને તેમની સતત વૃદ્ધિ થતી રહે છે જેથી જમીન ની ફળદ્રુપતા વધે છે.


 

** નિયમ ૬ **

કોઈ પણ પ્રકાર ના પાક ને વધુ પાણી નહી પણ નમી ની ( ભીનાશ ) જરૂરત હોય છે.

પાળાઓ બનાવી ખેતી કેરી શકાય.પાળા બનાવી ખેતી કરવા થી ઘાસ કાઢવામા સરળતા રહે છે

પાળા વચ્ચે 3 ફુટ ની જગ્યા રાખવી જોઈયે.પાળા ના બંને છેડે પાક વાવવો આમ કરવા થી પાણી ની ખપત ઘટે છે અને પાક ના મૂળ સારી રીતે પ્રસરી શકે છે






અથવા શક્ય હોય તો ટપક પદ્ધતિ નો પણ ઉપયોગ કરી શકાય.


ટપક પદ્ધતિ અપનાવવા ના ઘણા ફાયદા છે

* પાણી ની ખપત ઘટી જાય છે

* પાક ને પાણી પાવા ઍક બટન જ દબાવવૂ પડે છે.

* જમીન પર સતત ટીપે ટીપે પાણી પડતૂ હોવાથી ભીનાશ બની રહે છે.




**** ભાગ 4 આવતી કાલે

જુઓ આની પહેલા ની પોસ્ટ

www.karokudratikheti.blogspot.com


- આશિષ જાડેજા

No comments:

Post a Comment