![]() |
રાસાયણીક ખાતર |
તેથી ખેડૂત હંમેશા આર્થિક રીતે દબાયેલો રહે છે.અને પાક લણે કે તરત જ વેચવો પડે છે. દરવખત થી વધારે રાસાયણીક ખાતર અને દવા ઑ ની જરૂર પડે છે પરંતુ ઉપજ અન ઉપજ ની કિંમત નો કોઈ ભરોસો નહી.
રાસાયણીક ખાતર અને દવા વાપરવાથી પાકો ની ગુણવતા ઘટતી જાય છે. બિમારિયો વધી રહી છે સાથે સાથે જમીન,પાણી અને ત્યા સુધી કે માતા ના દૂધ મા પણ આ રાસાયણીક દવા ઑ ના અંશ જોવા મળ્યા છે ( સત્યમેવ જયતે નો ઍપિસોડ જોયો હોય તો આ વાત યાદ હશે ).
શુ આનો કોઈ ઉપાય નથી.......??
હા આનો ઉપાય છે કે ઍવી રાહ જેના પર ચાલી ને ખેડૂત મિત્ર આ રાસાયણીક ઝેરો ના ચંગૂલ માથી મુક્ત થઈ શકે અને વધુ ને વધુ લોકો ઝેર મુક્ત ખેતી અપનાવી શકે અને વધુ ને વધુ લોકો ને ઝેર મુક્ત ભોજન મળી રહે તે રાહ છે '' કુદરતી ખેતી '' ની....
ઘણા ખેડૂત પોતાના ખેતર મા પાક જેવા કે ઘઉ,મગ વગેરે મા રાસાયણીક ખાતર અને દવા નો ઉપયોગ છોડી ગાય ના છાણ અને ગૌમુત્ર નો ઉપયોગ કરે છે.પણ પેદાશ ઘટે છે કારણ કે ફક્ત ગાય ના છાણ કે ગૌમુત્ર થી પેદાશ વધવાની નથી તેની સાથે બીજી ઘણી બાબતો ધ્યાન મા રાખવા જેવી છે તે આ બ્લોગ મા જાણીશુ જેથી પેદાશ ન ઘટે.
આ બ્લોગ તે દરેક વ્યક્તિ માટે છે જે ખેતી કરે છે અને તે જે આ પેદાશ વાપરે છે...અને જાણીશુ કે કેવી રીતે આપણો ખેડૂત મિત્ર વધુ ને વધુ સ્વાવલંબી બની શકે..
રાસાયણીક ખેતી કરવા થી થતા નુકશાન
* દર વખતે રાસાયણીક ખાતર અને દવા ના ઉપયોગ મા વધારો કરવો પડે છે
* જમીન,પાણી ખરાબ થાય છે
* માનવ સ્વાસ્થ્ય ઉપર આ કેમિકલ ની વિપરીત અસરો થાય છે
* જમીન મા ઉપયોગી ઍવા સૂક્ષ્મા જીવો ની સંખ્યા ઘટે છે
ઘણા ખેડૂતો ઍ પહેલા હરીયાળી ક્રાંતિ ની આડ મા રાસાયણીક ખેતી મોટા પાયે કરી...ફાયદો પણ કર્યો પણ જ્યારે તેમના સ્વાસ્થ્ય પર આ દવાઑની અસર દેખાવા લાગી ત્યારે તે નવો માર્ગ શોધવા લાગ્યા જેના પર ચાલી સ્વાસ્થ્ય અને પાક બંને સારા મળી રહે અને તે માર્ગ ઍટલે જ "કુદરતી ખેતી"...
www.karokudratikheti.blogspot.com
-આશિષ જાડેજા
No comments:
Post a Comment