Saturday, December 21, 2013

મુખ્ય સિદ્ધાંતો/નીયમો ( ભાગ ૧ ).....ઍક પહેલ કુદરતી ખેતી તરફ

આપણે જરૂરી ઍવી સામાન્ય માહિતી મેળવી લીધી આગળ ની ઘણી પોસ્ટ દ્વારા હવે મુખ્ય સિદ્ધાંતો/નીયમો જાણીયે.

હા થોડોક વાંધો છે કે આ પ્રકાર ની કુદરતી ખેતી મા ખેતર થોડીક સંભાળ માગી લે છે પરંતુ સમય ગુજરવાની સાથે શ્રમ અને જરૂરત ઓછી થતી જશે..

* શરૂઆત કેવી રીતે કરવી *

કુદરતી ખેતી ની શરૂઆત કરતા પહેલા તેના મુખ્ય સિદ્ધાંત યાદ રાખવા જોઈયે

કુદરતી ખેતી ના મુખ્ય સિદ્ધાંતો આ પ્રમાણે છે

** નિયમ ૧ **

 કુદરતી ખેતી નો મૂળ ઉદ્દેશ્ય ઍ છે કે માટી ની ગુણવતા વધારવી ( ઍટલે કે સૂક્ષ્મ જીવાણુ ઑની માત્રા ) ઍ જમીન ની ઉત્પાદકતા વધારવા માટે નુ મુખ્ય અંગ છે.

સૂક્ષ્મ જીવાણુઑ જે હવા,બાયોમાસ ( કૃષિ અવશેષ,પાંદ,વનસ્પતી વગેરે) મા પ્રાકૃતીક રૂપ ઉપલબ્ધ પોષક તત્વો ને ઝાડ,પાક ના ઉપયોગ લાયક બનાવે છે જેથી જમીન ની ઉત્પાદકતા વધે છે. અને જમીન ની ઉત્પાદકતા વધારવા માટે રાસાયણીક ખાતર અને દવા ઑ નો ઉપયોગ અત્યાર થી જ બંધ.


** નિયમ ૨ **

ખેતર કે વાડી નો કચરો ( કૃષિ અવશેષ,પાંદ,વનસ્પતી વગેરે )  ખેતર કે વાડી મા જ.તે આપની જમીન બહાર ન જાવો જોઈયે અને તેને બાળવો તો નહી જ. આ કચરા નો ઉપયોગ જમીન ઢાંકાવા ઍટલે કે તડકા થી બચાવવા કરવો જેથી સૂક્ષ્મ જીવાણુ ઑ ની સંખ્યા વધે.શરૂઆત ના વર્ષો મા તમે પાંજરાપોળ કે ગૌશાળા માથી ગાય નુ છાન લાવી ને નાખવુ.

તમે બીજા ખેડૂતો ના ખેતર માથી પણ કચરો ( બાયોમાસ ફક્ત )  લાવી નાખી શકો. આખા ખેતર મા ત્રણેક ઈંચ ની બાયોમાસ ની પરત બની જાય તો બહુજ સરસ પણ કોઈ ઉતાવળ કરવી નહી સમય ઍનુ કામ કરશે અને તમે તમારુ.

આ પરત બનવા થી ઘણા ફાયદા થાય છે

* વધારે વરસાદ,તોફાન કે વાવાઝોડા મા થતુ જમીન નુ ધોવાણ અટકાવી શકાય છે

* જમીન ના પાણી નુ બાષ્પિભવન ઓછુ થાય છે.

* સૂક્ષ્મ જીવાણુ ઑ માટે યોગ્ય વાતાવરણ બન્યુ રહે છે જેથી તેની સંખ્યા વધે છે આ પરત સૂક્ષ્મ જીવાણુ ઑ નો ખોરાક બને છે અન છેલ્લે જમીન મા ભળી જાઇ તેને ઉપજાઉ બનાવે છે.


**  નિયમ ૩ **

ઍક જ પ્રકાર નો પાક ન લેતા જુદા જુદા પ્રકાર નો પાક ઍક જ સમયે વાવવો જોઈયે.
દા.ત ત્રણ ઍકર નુ ખેતર હોય તો તેમા દોઢ દોઢ ઍકર મા બે અલગ અલગ પાક લાઇ શકાય અથવા તો ઍક જ પાક ની અલગ અલગ જાત વાવવી જોઈયે.

આમ કરવાથી જમીન ની ફળદ્રુપતા વધે છે અને જીવાત પર નિયત્રણ લાગે છે.

સમયચક્ર સાથે તાલમેલ સાધી ખેડૂતે બે કે તેથી વધુ પાક ઍક જ સમયે ઉગાડવો જોઈયે.

જ્યા સુધી સંભવ હોય ત્યા સુધી તો દરેક ખેતર મા બે દાણા વળી ( ઍટલે કે ફળી વાળી ) અને કપાસ / ઘઉ / ચૉરા ( જેવા ઍક દાણા વાળો પાક વાવવો જોઈયે ).

ફળી વળી ( ઍટલે કે બે દાણા વળી ) ફસલ જમીન ને પૂરતો નાઇટ્રોજન પુરો પાડે છે. દર વખતે ઍક જ જાત નો કપાસ ન વાવતા જુદા જુદા પ્રકાર ની કિસ્મ નો પ્રયોગ કરવો જોઈયે

જુદા જુદા પાક સાથે વાવી શકાય તેવા પાક

બાજરા સાથે : મગ , કોથમરી

ચણા સાથે : સુરજમુખી , મકાઈ , બાજરો

કપાસ સાથે : ડુંગળી , ટામેટા , મકાઈ , બજારો , મરચા

ઘઉ સાથે : ચણા , સરસો , કોથમરી , રાજમા , શેરડી

બીજા ધાન્ય સાથે : મગ , મેથી , પાલક , કોથમરી વગેરે વાવી શકાય.


**** ભાગ ૨ આવતી કાલે

જુઓ આની પહેલા ની પોસ્ટ

www.karokudratikheti.blogspot.com 

 
- આશિષ જાડેજા

No comments:

Post a Comment