Sunday, December 22, 2013

મુખ્ય સિદ્ધાંતો/નીયમો ( ભાગ ૪ ).....ઍક પહેલ કુદરતી ખેતી તરફ

 પહેલા ૬ નિયમ વાંચવા અહી જાવ

 ** નિયમ ૭ **

જો બીયારણ પર મોટી કંપનીઑ નો કબજો રહે તો ખેડૂત કદી સ્વતંત્ર ન થઈ શકે. પોતાનુ બીજ બનાવવુ ઍ કુદરતી ખેતી નો આધાર છે.

સારા બીજો ગોતી તેને વાવી અને સારુ બીયારણ બનાવતા રહો અને બીજા ખેડૂતો ની પણ મદદ કરતા રહો આમ કરવા થી ખેડૂત ને બીયારણ માટે મોટી કંપનીઑ પર આધાર રાખવો નહી પદે.

આ બીજો બરોબર ઉગે છે કે નહી તે ચકાશવા અંકુરણ ની જાંચ કરવી જોઈયે.તે પદ્ધતિ આપ ને આ બ્લોગ મા જાણીશુ

અને કમોસમી પાક ન લેવા જોઈયે


** નિયમ ૮ **

ઝાડવા.....જે આપણે પેલા ની પોસ્ટ મા જોયુ

તે પોસ્ટ વાચવા અહિ ક્લિક કરો


** નિયમ ૯ **

કુદરતી ખેતી મા જ્યારે પાક વાવીઍ ત્યારે તેના બીજ ની બીજા બીજ થી લંબાઈ ઓછા મા ઓછી ૧ ફુટ ૮ ઈંચ ( ચારે બાજુ થી ) જેટલી હોવી જોઈયે.

આના લીધે મૂળ સારા ફેલાય છે, બીજ ની ઓછી જરૂર પડે છે અને ઉત્પાદન વધે છે.


** નિયમ ૧૦ **

જ્યા સુધી થઈ શકે ત્યા સુધી બહાર નો સામાન ન વાપરવો જોઈયે..

બજાર મા અળસીયા વારૂ ખાતર , કુદરતી ખાતર વગેરે સરળતા થી મળી શકે છે પણ આપણે પોતે બનાવેલુ જ ખાતર વાપરવુ જોઈયે કારણ કે તે લાંબા સમયે ફાયદામંદ સાબિત થાય છે.


** નિયમ ૧૧ **

પાક ને ઘાસ થી ત્યારે જ નુકશાન થાય છે જ્યારે તે પાક ની ઉચાઈ કરતા વધવા માંડે કા પછી તેમા ફળ કે બીજ બનવા માંડે. જો આવુ થાય ત્યારે નિંદામણ કરવા ની જરૂર પડે છે અને આ ઘાસ ને ફેકી ન દેતા તેનો જમીન ઢાંક વા ઉપયોગ કરવો.

કુદરતી ખેતી મા ઘાસ ઓછુ થાય છે કારણ કે યૂરીયા જેવુ રાસાયણીક ખાતર વાપરતા નથી ઍટલે


** નિયમ ૧૨ **

જરૂરત હોય ત્યારે કીટનાશક દવા ઑ જે ખેડૂત પોતે બનાવી શકે તેનો જ ઉપયોગ કરવો જોઈયે.

કુદરતી ખેતી મા માટી વધુ સ્વસ્થ હોવાથી અને જૈવ વિવિધતા ને કારણે પાક મા બિમારીઑ ઓછી આવે છે.અને લાગે તો પણ ઓછી ઘાતક હોય છે.

ધ્યાન રાખજો કે બધા જીવ જંતુ ઑ પાક માટે નુકશાન કારક નથી હોતા.


** નિયમ ૧૩ **

પશુપાલન જ કુદરતી ખેતી નુ મુખ્ય અંગ છે.વધુ માહિતી માટે અહિ ક્લિક કરો

પશુ પોતાનો ખર્ચો તમને કાઢી આપે છે ઍના દૂધ કે છાણ દ્વારા..તે તમારી મદદ કરે છે અને તમારે તેની સંભાળ લેવી જોઈયે.

* કુદરતી ખેતી ફક્ત ફાયદો વધારવા માટે ની ખેતી નથી ઍક જીવન જીવવાની રીત છે *

જુઓ આની પહેલા ની પોસ્ટ

www.karokudratikheti.blogspot.com


- આશિષ જાડેજા

No comments:

Post a Comment