Sunday, December 29, 2013

ધાન્ય ઉગાડવાની નવી રીત........

આ ધાન્ય ઉગાડવાની નવી રીત મે કોઈક તો સમાચારપત્ર મા વાંચી હતી.

તેમા દર્શાવવામા આવ્યુ હતુ કે આન્ધ્રપ્રદેશ,કર્ણાટક અને તામિલનાડુ મા હવે ધાન્ય વાવવા માટે આજ રીત નો ઉપયોગ થાય છે.આ રીત ને તેઓ શ્રી વિધિ કહે છે.

આ રીત નો ઉપયોગ કરવાથી અંદાજે દોઢ ઘણો ફાયદો થાય છે.

આ રીત વિષે વધુ માહિતી

આ રીત મા પહેલા ઍક જગ્યા ઍ ધાન્ય ના રોપા બનાવવા મા આવે છે.

૮ થી ૧૦ દિવસ નો રોપો થાય ( બે પાંદ આવી જાય ) તે રોપા ને ત્યાથી કાઢી ને મૂળ જગ્યા ઍ વાવી દેવો.

પણ રોપા ને સાવધાની પૂર્વક કાઢવો જેથી તેના મૂળ ને નુકશાન ન થાય તે માટે ૩ થી ૪ ઈંચ માટી સાથે જ આખા રોપા ને ઉખાડી ને મૂળ જગ્યા ઍ વાવી દેવો

આ રોપા ઑ ને ઍક ઍક કરી ચારે બાજુ થી ૧ ફુટ જગ્યા મૂકી વાવતા જવુ.

આમ શ્રી વિધિ નો પ્રયોગ તમે તમારા ખેતર મા કરી શકો.

થોડીક મહેનત થશે પણ  નાનકડો અખતરો કરવામા શુ વાંધો..........?  :)


જુઓ આની પહેલા ની પોસ્ટ

http://karokudratikheti.blogspot.com


-આશિષ જાડેજા

No comments:

Post a Comment