Friday, December 20, 2013

શુ કુદરતી ખેતી અપનાવવા થી શરૂઆત ના વર્ષો મા નુકશાન થાય છે.......???

ઍવુ સાંભળવા મા આવે છે કે કુદરતી ખેતી અપનાવવા વાળા ખેડૂત ની શરૂઆત ના વર્ષો મા ઉપજ / ઉત્પાદન ઘટે છે....

પણ આ સચ્ચાઈ નથી..

હા જો પુરી તૈયારી સાથે કુદરતી ખેતી અપનાવવામા આવે તો..

જેમકે દરેક પ્રકાર ની બાયોમાસ ( ઍટલે કે કૃષિ અવશેષ, ઝાડ ના પાંદ, વનસ્પતી વગેરે ) વાપરવામા આવે અને તે પણ પૂરા જ્ઞાન સાથે તો પેલા વર્ષે પણ નુકશાન નથી થતૂ.

પણ જો આ ન કરવા મા આવે તો આવક જરૂર ઘટી શકે....છતા પણ ત્રીજા વર્ષ સુદી પેદાવાર ઍટલી જ થઈ જશે જેટલી રાસાયણીક ખાતર વાપરી ને મળતી હતી..

ગણતરી પ્રમાણે કુદરતી ખેતી મા ખર્ચો ઑછો અને આવક વધશે તેથી સરવાળે ફાયદો તો વધવાનો જે

અને છતા પણ શરૂઆત ના ૨ વર્ષ મૂકી ને ઉત્પાદન મા કોઈ જ ઘટાડો ન થાય તે હજારો ખેડૂતો ના અનુભવ ના હિશાબે જાણવા મળ્યુ છે

આપણા દેશ મા મહારાષ્ટ્ર,ગુજરાત,કર્ણાટક જેવા રાજ્યો ના ખેડૂતો મોટા પાયા પર કુદરતી ખેતી સફળતા પૂર્વક કરી રહ્યા છે.

ઍક વૈજ્ઞાનિક ડૉક્ટર ઍ તેમના ખેતર મા કરેલા પ્રયોગો પર થી તે સ્પષ્ટ થઈ ગયુ કે રાસાયણીક ખેતી કરતા કુદરતી ખેતી મા ફાયદો જાજો થાય છે.

પંજાબ જ્યા ખેતી ઍટલા મોટા પાયા પર થાય છે તે વધુ પડતા રાસાયણીક ખાતર અને ઝેર ને લીધે ખખડી ગયુ છે હવે ત્યાના પણ ખેડુતો આ કુદરતી ખેતી ના માર્ગ પર વળયા છે.હરિયાણા ના ખેડૂતો પણ હવે કુદરતી ખેતી કરી સફળ પરિણામો મેળવી રહયા છે.


જુઓ આની પહેલા ની પોસ્ટ 

www.karokudratikheti.blogspot.com

 

-આશિષ જાડેજા



No comments:

Post a Comment