Friday, December 20, 2013

ઍક સમજવા જેવી વાર્તા

અમારા ગામ ના ઍક ખેડૂત જે રાસાયણીક ખાતર અને દવા નો પ્રયોગ કરી ને બાજરી ની ખેતી કરી હતી...અને તે જ ખેડૂત ના બાજુ વાળી વાડી મા કુદરતી ખેતી કરતા મારા મિત્ર ઍ પણ બાજરી ની જ ખેતી કરી હતી..

જ્યારે બાજરી ના ડોડા/છરા આવ્યા ત્યારે ચકલી,કબૂતર અને ઍવા ઘણા પક્ષી ઑ કુદરતી ખેતી કરતા ખેડૂત મિત્ર ની વાડી મા આવ વા લાગ્યા જુવાર ખાતા અન ઉડાઉડ કરતા...

પણ બાજુ વાળા ખેડૂત જે રાસાયણીક ખેતી કરતા હતા તેમની વાડી મા ઍક ચકલી પણ ન ફરકે...

જો આ પક્ષી ઑ આટલુ સમજી શકતા હાય તો આપણે તો માનવી છીઍ...
જે ધાન્ય ચકલી ઑ નથી ખાટી ઍ આપણે કેમ ખાવુ જોઈયે...

આ વાત મોટો બોધ આપી જાય છે કે હવે સમય પાકી ગયો છે....કુદરતી ખેતી અપનાવો અને ખુશ હાલ જીવન જીવો.

હવે કાલ થી આપણે જોઈશુ કુદરતી ખેતી કરવી કેવી રીતે..............


જુઓ આની પહેલા ની પોસ્ટ

www.karokudratikheti.blogspot.com


-આશિષ જાડેજા

No comments:

Post a Comment