Saturday, December 21, 2013

મુખ્ય સિદ્ધાંતો/નીયમો ( ભાગ ૨ ).....ઍક પહેલ કુદરતી ખેતી તરફ

પહેલા ૩ નિયમ વાંચવા અહી જાવ


** નિયમ ૪ **

ખેતર મા વધુ ને વધુ વરસાદ નુ પાણી જમા કરવુ જોઈયે

જો ખેતર નુ પાણી ખેતર બહાર જશે તો તેની સાથે ઉપજાઉ માટી પણ વહી જશે ( જમીન નુ ધોવાં થશે ) તે ન થાય માટે પાણી નો સંગ્રહ કરવો

અને જેમ જેમ સૂક્ષ્મ જીવાણુઑની સંખ્યા જમીન મા વધશે તેમ તેમ જમીન ની પાણી ને શોષવા ની શક્તિ પણ વધશે

ખેતર મા સંભવ હાય તો ટાકા જેવી વ્યવસ્થા કરવી જોઈયે. જેથી વરસાદ નુ પાણી જમીન મા ઉતરે અને ભૂગર્ભ જળ પણ ઉચા આવે.





પાણી જમીન મા ઉતરે તે માટે ટાંકો / તલાવડી


વરસાદ મા ભરાયેલો ટાંકો / તલાવડી

તમે જે જમીન ને આપશો તેનો પુરો બદલો જમીન પાછો વાળશે જરૂર..

ગુજરાત સરકાર ના પ્રયાસ થી આજે ગામે ગામ ડૅમ બન્યા છે અને તેનો ફાયદો હવે જોવા મળી રહયો છે. ડૅમ ને કારણે ભૂગર્ભ જળ નુ લેવલ ઘણુ ઉચુ આવી ગયુ છે તેનો શ્રેય ગુજરાત સરકાર ને જાય છે.

ડૅમ ને કારણે સંગ્રહ થયેલુ પાણી
ડૅમ ના કારણે ઉચુ આવેલુ પાણીનુ તળ

**** ભાગ ૩ આવતી કાલે

જુઓ આની પહેલા ની પોસ્ટ

www.karokudratikheti.blogspot.com


- આશિષ જાડેજા

No comments:

Post a Comment