Sunday, December 22, 2013

નાનો ખેડૂત..........


ઍ તો નક્કી જ છે કે જે ખેડૂત પૂરેપૂરો ખેતી પર જ નિર્ભર છે તે ઍક સાથે કુદરતી ખેતી ન અપનાવી શકે.તે પોતાની રોજી રોટી નો ખતરો ન મોડી શકે.

ઍટલો વિશ્વાસ જરૂર છે કે પાક/ઉપજ ૨~3 વરસ મા પહેલા જેટલી જ થઈ જશે. અત્યારના આ રાસાયણીક ખેતી ના માર્ગ પર ચાલવુ ખૂબ જ ખતરનાક છે.

તેથી જ શરૂઆત ના આ થોડાક નુકશાન ને આપણે ભવિષ્ય નુ રોકાણ સમજવુ જોઈયે



નાનો ખેડૂત જે ફક્ત ખેતી પર નભે છે તેણે શુ કરવુ....?

નાના ખેડૂતે પોતાની જમીન ના અડધા ભાગ મા કુદરતી ખેતી થી શરૂઆત કરવી. આ અડધા ભાગ મા તે રાસાયણીક ખાતર, દવા સદંતર બંધ કરી દે..

પણ

જે હૂ પાછલી ઘણી પોસ્ટ થી જણાવી રહયો છુ કે ફક્ત રાસાયણીક ખાતર કે દવા બંધ કરવાથી કુદરતી ખેતી નથી થતી.કુદરતી ખેતી માટે પાછલી પોસ્ટ મા જેટલા પણ ઉપાય જણાવ્યા તે બધા અડધા ખેતર જેમા તમે કુદરતી ખેતી અપનાવી રહયા છો તેમા તો કરવા જ.

પછી ધીરે ધીરે આખા ખેતર મા કુદરતી ખેતી નો પ્રયોગ શરૂ કરી દેવો

ઍવા ઘણા ખેડૂત મિત્રો ને વાત કરતા મે સામભળ્યા છે કે હૂ જો કુદરતી ખેતી અપનાવી લઉ પણ મારા ખેતર ના બાજુ વારો ખેડૂત રાસાયણીક ખેતી બંધ ન કરે તો બધી જીવાત મારા પાક ને લાગે.

પણ આ ૧૦૦% ખોટી વાત છે અને આ ડર પણ સાવ ખોટો છે

જો ખેડૂત પોતાના અડધા ખેતર મા કુદરતી અને અડધા ખેતર મા રાસાયણીક ખેતી થી શરૂઆત કરે તો પણ કુદરતી ખેતી કરેલા ભાગ મા કોઈ જ નૂકશાન થતુ નથી.

જે હીસ્સા મા આપણે કુદરતી ખેતી અપનાવશુ તેમા મિત્ર જીવજંતુઑ ની સંખ્યા વધશે અને કુદરતી ખેતી ના કારણે પાક અને માટી ની વધેલી તાકાત ના હિશાબે જંતુઑ ના હુમલા ઘટી જશે માટે જ તમે શરૂઆત કરતા ન બિવો.

આની પછી ની પોસ્ટ મા આપણે ફક્ત છેલ્લૂ પુનરાવર્તન કરીશુ અને તેના પછી ની પોસ્ટ થી કુદરતી ખાતર , દવા , જીવામૃત વગેરે બનાવવાની પદ્ધતીઑ જાણીશુ

 જુઓ આની પહેલા ની પોસ્ટ

www.karokudratikheti.blogspot.com

 

- આશિષ જાડેજા

No comments:

Post a Comment