Wednesday, December 18, 2013

પ્રસ્તાવના

આજ ના ઍક્સપ્રેસ યુગમા બધાને પૈસા કમાવવાની ઉતાવળ છે. જલ્દી ની જલ્દી લાખપતિ ને કરોડપતિ બનવુ છે પછી ભલે ગમે તે રસ્તો ના હોય. આ ઍક્સપ્રેસ યુગ મા આપણો ખેડૂત જેને બધા અન્નદાતા કે ધરતીપુત્ર પણ કહે છે તે પણ બદલાયો છે. વધુ ને વધુ નફો રળવાની લાલચ મા તે પોતાની કર્મભૂમિ ( ઍટલે કે ખેતર કે વાડી ) મા વધુ ને વધુ રાસાયણીક ખાતર, દવાઓ નો ઉપયોગ કરવા લાગ્યો છે. પણ લાગે છે કે ઍ ભૂલી ગયો છે કે વધુ ને વધુ  રાસાયણીક ખાતર, દવાઓ ના ઉપયોગ થી જમીન ની ફળદૃપતા ઑછી થાય છે અને તેના શરીર ને પણ આ કેમિકલ થી નુકશાન થાય છે.( રાસાયણીક ખાતર અને દવા થી ઉગેલો પાક પણ ઍટલો  જ માનવ શરીર માટે હાનિકારક છે ) આ ઍક આંધળી દોટ છે. 

પણ હવે ધીરે ધીરે દરેક ને આ વાત સમજાણી હોય તેમ ઘણા ખેડૂતો કુદરતી ખેતી તરફ વળી રહ્યા છે જે ખરેખર રાજી થવા જેવી વાત છે. ઘણા ખેડૂતો ને કુદરતી ખેતી કરવી છે પણ કોઈ માર્ગદર્શન આપવા વાળુ નથી. ફક્ત છાણ અને ગૌમુત્ર ના ઉપયોગ થી ખેતી નથી થતી તે બીજી ઘણી સમજણ માગી લે છે.

આ બ્લોગ થકી હૂ દરેક તે ખેડૂતમિત્ર જે કુદરતી ખેતી તરફ વળવા માંગે છે તેમને મદદરૂપ થવા નાનકડો પ્રયત્ન કરી રહ્યો છુ.આ બ્લોગ કુદરતી ખેતી કરતા મારા ખેડૂત મિત્રો ના અનુભવો પર આધારીત છે. આ બ્લોગ હૂ તમામ પાસાઓને ધ્યાન મા રાખી લખવાનો પૂરતો પ્રયત્ન કરીશ સાથે સાથે તમારો સહકાર્ય પણ આવકાર્ય છે. તમે આ બ્લોગ તમારા ખેડૂત મિત્રો સાથે શેયર કરો જેથી તે પણ આ બ્લોગ નો પૂરે પુરો ફાયદો ઉપાડી શકે અને કુદરતી ખેતી તરફ વળી શકે.


* ચેતવણી *

આ બ્લોગ ને કોઈ પણ બુક રીતે પ્રસ્તુત કરી શકશે નહી અને બુક રૂપે પ્રસ્તુત કરવો હોય તો આશિષ જાડેજા નો સંપર્ક કરવો EMAIL ID: ashish85_jadeja@hotmail.com
 

આ બ્લોગ બનાવવા નો મુખ્ય ઉદ્દેશ કુદરતી ખેતી માટે જરૂરી માહિતી પુરી પાડવાનો છે તેના દ્વારા થતો ફાયદો કે નુકશાન મા આ બ્લોગ જીંમેદાર નથી


www.karokudratikheti.blogspot.in


-આશિષ જાડેજા

No comments:

Post a Comment