Showing posts with label ગાય માતા. Show all posts
Showing posts with label ગાય માતા. Show all posts
Tuesday, September 11, 2018
Sunday, June 17, 2018
Wednesday, October 26, 2016
Saturday, June 18, 2016
ગાય ની છાસ ની સજીવખેતી માં ઉપયોગીતા ( Butter Milk)
ગાય ની છાસ ખેતી માં ખુબજ ઉપયોગી થઇ સકે છે. આઠ થી દસ દિવસ છાસ ને રાખી દેવી ખુબજ ખાટી થઇ જશે અને વાસ મારશે. છાસ માં ખટાસ હોવાથી તે કોઈપણ જાત ની ફૂગ હોય તેનો નાશ કરી સકે છે. આથી સજીવ ખેતી માં કોઈપણ જાત ની ફૂગ આવે તો તેમાં પાણી નાખી અને છાસ નો છંટકાવ કરી શકાશે .
તમારી જમીન માં ખારાસ નું પ્રમાણ વધારે હોય તો તેને દુર કરવા પણ છાસ નો પ્રયોગ કરી સકાય અને તે માટે ખારાસ વાડી જમીન માં ખાટી છાસ ને પાણી સાથે ધોરીયા ધ્વારા આપી ને જમીન ને સુધારી સકાય છે. આ પ્રયોગ ગણ બધા લોકો એ કરેલ છે. અને સારા માં સારું પરિણામ મળેલ છે.
છાસ દ્વારા ખારા પાણી ઉપર નિયંત્રણ રાખી શકાય છે . મેં જાતે પ્રયોગ કરેલ છે. અમારે ગામ નું પાણી ૧૦૦૦૦ દસ હજાર ટી.ડી.એસ. છે . મેં અખતરો કરીયો તે પ્રમાણે ૫૦ એમ. એલ. પાણી માં ૫ એમ. એલ. છાસ નાખી તો પાણી ના ટી.ડી.એસ. ૧૦૦૦૦ થી સીધા ૭૩૦૦ સાત હજાર ત્રણસો ટી.ડી.એસ. ઉપર પાણી આવી ગયું. મતલબ કે ૨૦૦૦ થી ૨૫૦૦ ટી.ડી.એસ. કંટ્રોલ થઇ શકે. લીંબુ ના ફૂલ નો પણ ઉપયોગ ટી.ડી.એસ. ગટાડવા માટે થઇ શકે.
જુઓ આની પહેલા ની પોસ્ટ
http://karokudratikheti.blogspot.com
-આશિષ જાડેજા & નરેન્દ્રસિંહ ઝાલા
Thursday, December 26, 2013
શુ કુદરતી ખાતર બનાવવા માટે ફક્ત ગાય નુ જ છાણ વાપરી શકાય...?
આપણે કુદરતી ખાતર તો બનાવતા શીખિયા પણ ઘણા જણ ના મનમા આ સવાલ આવે કે શુ અમે ગાય ના છાણ સિવાય બીજા કોઈ પ્રાણી નુ છાણ વાપરી શકી....
હા..........
કુદરતી ખાતર બનાવવા માટે ફક્ત ગાય નુ જ છાણ વાપરી શકો તેવુ નથી. તમે કોઈ પણ પ્રાણી નુ છાણ વાપરી શકો.
તમે અડધુ ગાય નુ અને અડધુ બીજા પ્રાણી નુ પણ છાણ વાપરી શકો.
પણ શક્ય હોય ત્યા સુધી ગાય નુ છાણ જ વાપરવુ.
શાસ્ત્રોમાં ગાયને માતા કહેવામાં આવે છે. ગાય એક બહુ ઉપયોગી પશુ છે જે ઘણા રૂપોમાં ફાયદાકારક છે. જૂના સમયમાં પણ લગભગ દરેકના ઘરે ગાય પાળવામાં આવતી હતી. આજે પણ ગામડામાં રહેતા લોકો ગાયને પાળે છે.
* ગાય જ્યા રહે છે ત્યા કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા સક્રિય નથી રહી શકતી અને હકારાત્મક ઉર્જા વધે છે.
* ગાયની ગંધથી ઘણા હાનિકારક કીટાણુઓ નષ્ટ થઈ જાય છે.
* ગાયનુ દૂધ ઘણી બિમારીઓમાં ઔષધિના સ્વરૂપમાં કામ કરે છે.
* ગાયને ઘરમાં રાખવાથી બધા જ પ્રકારના વાસ્તુ દોષ નાશ પામે છે.
* ગાયનુ મૂત્ર ઘણી બિમારીઓમાં દવારૂપી કામ કરે છે.
* ગૌમૂત્રથી કેન્સરનો ઈલાજ થઈ જાય છે. ગાયના પ્રભાવમાં રહેતી આવી કોઈ વ્યક્તિને આવી બિમારી નથી થતી.
* ગાયનુ છાણ પણ ઘણા કામોમાં ઉપયોગી થઈ પડે છે.
જુઓ આની પહેલા ની પોસ્ટ
http://karokudratikheti.blogspot.com
-આશિષ જાડેજા
Friday, December 20, 2013
કુદરતી ખેતી કરવા માટે ની જરૂરી વસ્તુઑ...
( દરેક વિષે વિસ્તૃત માહિતી ઍક ઍક કરી ને પોસ્ટ કરીશ )
* બિયારણ
બિયારણ કુદરતી ખેતી નુ મુખ્ય અંગ છે આજે લગભગ બધા જ ખેડૂત મિત્રો બજાર મા ઉપલબ્ધ કેમિકલ ની પરત ચડાવેલુ બિયારણ જ વાપરે છે.
અને આ બિયારણ ખુબજ મોંઘુ ઍટલે કે કપાસ નુ જ બી લઈ લ્યો તો તે ૮૦૦ થી ૧૨૦૦ રૂપિયે અડધો કિલો મળે છે તેના પરથી જ સમજી શકાય કે આ રાસાયણીક ખેતી નો ખર્ચો કેટલો થતો હશે
દેશી બિયારણ ને તો લગભગ ભૂલી જ ગયા છે. પણ કુદરતી ખેતી માટે આપણે દેશી બિયારણ જ વાપરવાનુ છે.
* ગાય નુ છાણ/ ગૌમુત્ર ( કુદરતી ખાતર અને દવા બનાવવા માટે )
જ્યારે બકરી નુ બચ્ચુ જન્મે છે ત્યારે બે બે કરે છે...બિલાડી નુ બચ્ચુ જન્મે છે ત્યારે મ્યાઉ મ્યાઉ કરે છે પણ આખી સૃષ્ટિ મા ઍક જ ઍવુ પ્રાણી છે જેનુ બચ્ચુ જન્મે તો તે મા મા કરે છે તે જ આપની ગાય માતા
ભારત મા બધા હિન્દુ ઑ ગાય ને માતા તરીકે પણ ઑળખે છે.
ગાય માતા ના દૂધ થી લઈ છાણ , ગૌમુત્ર સુધી બધી વસ્તુ ઑ કામ આવે છે.
ગાય નુ છાણ અને ગૌમુત્ર કુદરતી ખેતી કરવા માટે ની મુખ્ય જરૂરીયાત છે.
ગાય ના છાણ અન ગૌમુત્રમાથી કુદરતી ખાતર અને કુદરતી દવા બનાવવા મા આવે છે.
દરેક ખેડૂત મિત્રો ઍ સંભવ હાય ત્યા સુધી પોતાના ખેતર કે વાડી મા ઍક કે વધુ ગાય જરૂર બાંધવી.....
ઍકલી ગાય નુ છાણ પણ ચાલે અથવા ગાય ના છાણ સાથે બીજા પ્રાણી ઑ નુ છાણ હાય તો તે પણ વાપરી શકાય...
* બાયોમાસ
ખેતર નો કચરો જેવો કે ઘાસ , પાંદ , ડાળી ઑ, વનસ્પતી ના અવશેષ , પાક લણયા પછી નો કચરો વગેરે આપણા ખેતર ની બહાર ન જાવો જોઈયે.પણ તેમા પ્લાસ્ટિક ન હોય તેનુ ધ્યાન રાખવુ.
તેનો ઉપયોગ વિવિધ કાર્ય માટે થાય છે જેમ કે ખાતર બનાવવા , જમીન ઢાંકાવા વગેરે વગેરે.
* નકામી સાડીઑ કલર કલર ની કે નકામુ કાપડ
જો તમારા વિસ્તાર મા પ્રાણીઑની હેરાનગતિ બહુ હોય તો આ ઍક સફળ ઉપાય છે
કલર કલર ની સાડીઑ જે બજાર મા સસ્તા મા મળી રહે છે તે અથવા નકામુ કલર કલર નુ કાપડ ખેતર ફરતે થોડા થોડા અંતરે લાકડા ના ટેકે ઉડતુ રહે તેમ લગાડી દેવુ તેનાથી મોટા ભાગ ના પ્રાણીઑ બીવે છે અને ખેતરથી દૂર રહે છે.
જો તમારા ખેતર ફરતે જાળ હાય તો પણ આ પ્રયોગ કરવો કારણ કે પક્ષી ઑ પણ આ કલર કલર ના ઉડતા કપડા થી બીવે છે અન પાક ની નુકશાન પહોચડતા નથી.
* પ્લાસ્ટિક ની બૉટલ ( ઠંડા ના બૉટલ ) / બરણી
પ્લાસ્ટિક ના બૉટલ / બરણી નો મુખ્ય ઉપયોગ રોપા ઉગાડવા માટે કરવો.
રીત : પ્લાસ્ટિક ની બૉટલ ને ઉપર થી કાપી લેવી લગભગ 10 થી 15 સેન્ટીમીટર ની ઉચાઈ રાખવી. અને નીચે ચાર પાચ નાના કાણા પાડી દેવા પાણી નિકળવા માટે.
પછી તેમા ઉપર 2.5 સેન્ટીમીટર જગ્યા રહે તેટલી માટી ભરી દેવી અને જે પણ છોડ વાવવો હોય તે વાવવો. અને જ્યારે છોડ ની ઉચ્ચાઈ ઍક વેત જેટલી થઈ જાય ત્યારે તેને તે પ્લાસ્ટિક ના કૂંડા માથી સાવધાની પૂર્વક કાઢી ને નક્કી કરેલી જગ્યા ઍ ખેતર કે વાડી મા વાવી દેવુ.
તમે પ્લાસ્ટિક ના કે માટી ના કૂંડા જે બજાર મા સરળતા થી મળી રહે છે તે પણ વાપરી શકો છો.
* ઝાડવા
કુદરતી ખેતી મા ખેતર મા વાવવા મા આવતા ઝાડ નુ પણ ખૂબ મહત્વ છે.
કયા કયા ઝાડ કેવી રીતે વાવવા દરેક માહિતી ઍક પછી ઍક પોસ્ટ કરતો જઈશ આ બ્લોગ મા..
* આવી અનેક નાની નાની માહિતી તમારા ઈમેલ બૉક્સ મા મેળવવા સબસ્ક્રાઇબ કરો મા જઈ તમારુ ઈમેલ ઍડ્રેસ નાખી સબસ્ક્રાઇબ કરો *
જુઓ આની પહેલા ની પોસ્ટ
-આશિષ જાડેજા
* બિયારણ
બિયારણ કુદરતી ખેતી નુ મુખ્ય અંગ છે આજે લગભગ બધા જ ખેડૂત મિત્રો બજાર મા ઉપલબ્ધ કેમિકલ ની પરત ચડાવેલુ બિયારણ જ વાપરે છે.
અને આ બિયારણ ખુબજ મોંઘુ ઍટલે કે કપાસ નુ જ બી લઈ લ્યો તો તે ૮૦૦ થી ૧૨૦૦ રૂપિયે અડધો કિલો મળે છે તેના પરથી જ સમજી શકાય કે આ રાસાયણીક ખેતી નો ખર્ચો કેટલો થતો હશે
દેશી બિયારણ ને તો લગભગ ભૂલી જ ગયા છે. પણ કુદરતી ખેતી માટે આપણે દેશી બિયારણ જ વાપરવાનુ છે.
* ગાય નુ છાણ/ ગૌમુત્ર ( કુદરતી ખાતર અને દવા બનાવવા માટે )
જ્યારે બકરી નુ બચ્ચુ જન્મે છે ત્યારે બે બે કરે છે...બિલાડી નુ બચ્ચુ જન્મે છે ત્યારે મ્યાઉ મ્યાઉ કરે છે પણ આખી સૃષ્ટિ મા ઍક જ ઍવુ પ્રાણી છે જેનુ બચ્ચુ જન્મે તો તે મા મા કરે છે તે જ આપની ગાય માતા
ભારત મા બધા હિન્દુ ઑ ગાય ને માતા તરીકે પણ ઑળખે છે.
ગાય માતા ના દૂધ થી લઈ છાણ , ગૌમુત્ર સુધી બધી વસ્તુ ઑ કામ આવે છે.
ગાય નુ છાણ અને ગૌમુત્ર કુદરતી ખેતી કરવા માટે ની મુખ્ય જરૂરીયાત છે.
ગાય ના છાણ અન ગૌમુત્રમાથી કુદરતી ખાતર અને કુદરતી દવા બનાવવા મા આવે છે.
દરેક ખેડૂત મિત્રો ઍ સંભવ હાય ત્યા સુધી પોતાના ખેતર કે વાડી મા ઍક કે વધુ ગાય જરૂર બાંધવી.....
ઍકલી ગાય નુ છાણ પણ ચાલે અથવા ગાય ના છાણ સાથે બીજા પ્રાણી ઑ નુ છાણ હાય તો તે પણ વાપરી શકાય...
* બાયોમાસ
ખેતર નો કચરો જેવો કે ઘાસ , પાંદ , ડાળી ઑ, વનસ્પતી ના અવશેષ , પાક લણયા પછી નો કચરો વગેરે આપણા ખેતર ની બહાર ન જાવો જોઈયે.પણ તેમા પ્લાસ્ટિક ન હોય તેનુ ધ્યાન રાખવુ.
તેનો ઉપયોગ વિવિધ કાર્ય માટે થાય છે જેમ કે ખાતર બનાવવા , જમીન ઢાંકાવા વગેરે વગેરે.
* નકામી સાડીઑ કલર કલર ની કે નકામુ કાપડ
જો તમારા વિસ્તાર મા પ્રાણીઑની હેરાનગતિ બહુ હોય તો આ ઍક સફળ ઉપાય છે
કલર કલર ની સાડીઑ જે બજાર મા સસ્તા મા મળી રહે છે તે અથવા નકામુ કલર કલર નુ કાપડ ખેતર ફરતે થોડા થોડા અંતરે લાકડા ના ટેકે ઉડતુ રહે તેમ લગાડી દેવુ તેનાથી મોટા ભાગ ના પ્રાણીઑ બીવે છે અને ખેતરથી દૂર રહે છે.
જો તમારા ખેતર ફરતે જાળ હાય તો પણ આ પ્રયોગ કરવો કારણ કે પક્ષી ઑ પણ આ કલર કલર ના ઉડતા કપડા થી બીવે છે અન પાક ની નુકશાન પહોચડતા નથી.
* પ્લાસ્ટિક ની બૉટલ ( ઠંડા ના બૉટલ ) / બરણી
પ્લાસ્ટિક ના બૉટલ / બરણી નો મુખ્ય ઉપયોગ રોપા ઉગાડવા માટે કરવો.
રીત : પ્લાસ્ટિક ની બૉટલ ને ઉપર થી કાપી લેવી લગભગ 10 થી 15 સેન્ટીમીટર ની ઉચાઈ રાખવી. અને નીચે ચાર પાચ નાના કાણા પાડી દેવા પાણી નિકળવા માટે.
પછી તેમા ઉપર 2.5 સેન્ટીમીટર જગ્યા રહે તેટલી માટી ભરી દેવી અને જે પણ છોડ વાવવો હોય તે વાવવો. અને જ્યારે છોડ ની ઉચ્ચાઈ ઍક વેત જેટલી થઈ જાય ત્યારે તેને તે પ્લાસ્ટિક ના કૂંડા માથી સાવધાની પૂર્વક કાઢી ને નક્કી કરેલી જગ્યા ઍ ખેતર કે વાડી મા વાવી દેવુ.
તમે પ્લાસ્ટિક ના કે માટી ના કૂંડા જે બજાર મા સરળતા થી મળી રહે છે તે પણ વાપરી શકો છો.
* ઝાડવા
કુદરતી ખેતી મા ખેતર મા વાવવા મા આવતા ઝાડ નુ પણ ખૂબ મહત્વ છે.
કયા કયા ઝાડ કેવી રીતે વાવવા દરેક માહિતી ઍક પછી ઍક પોસ્ટ કરતો જઈશ આ બ્લોગ મા..
* આવી અનેક નાની નાની માહિતી તમારા ઈમેલ બૉક્સ મા મેળવવા સબસ્ક્રાઇબ કરો મા જઈ તમારુ ઈમેલ ઍડ્રેસ નાખી સબસ્ક્રાઇબ કરો *
જુઓ આની પહેલા ની પોસ્ટ
www.karokudratikheti.blogspot.com
-આશિષ જાડેજા
Subscribe to:
Posts (Atom)



