Tuesday, November 24, 2015

સજીવ ખેતી માટે ઉપયોગી ઍવા કિટકો.....


































અગત્યની સુચના......

અપલોડ કરેલા ફોટા ફક્ત માહિતી હેતુશર મુકવામા આવેલ છે. આ ફોટા કોપીરાઈટ ધરાવે છે તેના દરેક અધિકાર તેના માલિક પાસે અનામત છે. માટે તેનો વ્યવસાઈક ઉપયોગ કરવો નહી.

જુઓ આની પહેલા ની પોસ્ટ

http://karokudratikheti.blogspot.com 

-આશિષ જાડેજા
& નરેન્દ્રસિંહ ઝાલા

Sunday, November 15, 2015

બિયારણ વિશે માહિતી.....








સજીવ ખેતી માટે દેશી બિયારણ શ્રેષ્ઠ છે . દેશી બિયારણ ટકાઉ અને મજબુત છોડ ધરાવે છે જેથી વાતાવરણ સામે ટકી શકે છે. અને રોગ જીવંત સામે પણ ટકી સકે છે.


  જુઓ આની પહેલા ની પોસ્ટ

http://karokudratikheti.blogspot.com 

-આશિષ જાડેજા & નરેન્દ્રસિંહ ઝાલા







Tuesday, December 31, 2013

જાણવા જેવુ.....

* વરસાદ ના ૩ તબક્કા છે...

સમયસર વરસાદ.....૧૫ જૂન થી ૩૦ જૂન

થોડોક મોડો વરસાદ.....૧ જુલાઇ થી ૧૫ જુલાઇ

બહુ મોડો વરસાદ.....૧૫ જુલાઇ પછી


આપણે વરસાદ પ્રમાણે પાક વાવવા જોઈયે જેથી નુકશાન ઘટાડી શકાય

જો વરસાદ સમયસર હોય તો.....મગફળી , કપાસ જેવા પાકો વાવવા જોઈયે

થોડોક મોડો વરસાદ હોય તો.....તલ , ઍરન્ડા જેવા પાકો વાવવા જોઈયે

બહુ મોડો વરસાદ હોય તો.....જુવાર , બાજરી , કઠોળ જેવા પાકો વાવવા જોઈયે


* તમારા ખેતર મા વરસાદ ના પાણી નુ વહેણ હોય તેની ઉંધી દિશા મા પાળા બનાવવા જોઈયે

દા.ત વરસાદ નુ પાણી દક્ષિણ દિશા થી ઉતર તરફ વહેતુ હોય તો પાળા પૂર્વ થી પશ્ચિમ દિશા મા બનાવ વા

આમ કરવાથી જમીન નુ ધોવાણ અટકે છે અને વરસાદ નુ ઘણુ પાણી જમીન મા ઉતરે છે.


* બની શકે ત્યા સુધી પવન થી પાક ને નુકશાન ન થાય તેનુ ધ્યાન રાખવુ

તે માટે હવાની દિશા જે બાજુ હોય તે બાજુ ઉચા પાક ની વાળ બનાવવી જોઈયે જેથી બીજા પાક ને નુકશાન ન થાય.


* તમારે તમારા ખેતર ની જમીન ની માટી નો ટેસ્ટ કરાવવો જ જોઈયે જેથી કયા તત્વ ઓછા છે તે ખબર પડી શકે.અને તે જમીન મા કયા પાક સારા થઈ શકે તે જાની તે પ્રમાણે ખેતી કરવી.

જુઓ આની પહેલા ની પોસ્ટ

http://karokudratikheti.blogspot.com 

 

you can also visit my new website * My World of Pixels *  

www.myworldofpixel.blogspot.com 

-આશિષ જાડેજા

Sunday, December 29, 2013

ધાન્ય ઉગાડવાની નવી રીત........

આ ધાન્ય ઉગાડવાની નવી રીત મે કોઈક તો સમાચારપત્ર મા વાંચી હતી.

તેમા દર્શાવવામા આવ્યુ હતુ કે આન્ધ્રપ્રદેશ,કર્ણાટક અને તામિલનાડુ મા હવે ધાન્ય વાવવા માટે આજ રીત નો ઉપયોગ થાય છે.આ રીત ને તેઓ શ્રી વિધિ કહે છે.

આ રીત નો ઉપયોગ કરવાથી અંદાજે દોઢ ઘણો ફાયદો થાય છે.

આ રીત વિષે વધુ માહિતી

આ રીત મા પહેલા ઍક જગ્યા ઍ ધાન્ય ના રોપા બનાવવા મા આવે છે.

૮ થી ૧૦ દિવસ નો રોપો થાય ( બે પાંદ આવી જાય ) તે રોપા ને ત્યાથી કાઢી ને મૂળ જગ્યા ઍ વાવી દેવો.

પણ રોપા ને સાવધાની પૂર્વક કાઢવો જેથી તેના મૂળ ને નુકશાન ન થાય તે માટે ૩ થી ૪ ઈંચ માટી સાથે જ આખા રોપા ને ઉખાડી ને મૂળ જગ્યા ઍ વાવી દેવો

આ રોપા ઑ ને ઍક ઍક કરી ચારે બાજુ થી ૧ ફુટ જગ્યા મૂકી વાવતા જવુ.

આમ શ્રી વિધિ નો પ્રયોગ તમે તમારા ખેતર મા કરી શકો.

થોડીક મહેનત થશે પણ  નાનકડો અખતરો કરવામા શુ વાંધો..........?  :)


જુઓ આની પહેલા ની પોસ્ટ

http://karokudratikheti.blogspot.com


-આશિષ જાડેજા